ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સની સાંસ્કૃતિક સમિતિ દ્વારા છેલ્લા ૪૫ વર્ષથી “એચ.એ.કોલેજ વકતૃત્વ સ્પર્ધા” યોજાય છે. આજરોજ યોજાયેલ આ સ્પર્ધામાં ૨૦ કોલેજોએ ભાગ લીધો હતો. જેનો વિષય “ચેટજીપીટી જેવા ચેટબોટ્સ મનુષ્યની સર્જનશીલતાને વિકસાવે છે કે કુંઠિત કરે છે?” આ સ્પર્ધાના અંતે જીએલએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીની વિદ્યાર્થીની સીયા જોષીએ પ્રથમ ક્રમ મેળવી રોટેટીંગ ટ્રોફી મેળવી હતી , ફેકલ્ટી ઓફ લોના સંગાતસિંહ ઉમટ બીજા ક્રમે તથા એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી વિભાગની કૈરવી શાહ તૃતીય ક્રમે વિજેતા થયા હતા. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે આજના સમયમાં વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનો રસ ઓછો થતો જાય છે. મોબાઈલના અતીશય ઉપયોગને કારણે વકતૃત્વ કળા કુંઠિત થઇ છે.આવા સમયે આટલી મોટી સંખ્યામાં ભાગ લે એ ખુબજ આવકારદાયક છે. આ સ્પર્ધાના જજ તરીકે પ્રા.માર્ગીહાથી તથા પ્રા.શ્રીપ્રકાશ પંડ્યાએ સેવાઓ આપી હતી. સ્પર્ધામાં ભાગ લીધેલ બધાજ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રા.મહેશ સોનારાએ કર્યુ હતુ .