શ્રી રામ અને શ્રી રામ મંદિર ને સમર્પિત દળદાર coffee table બુક નું વિમોચન શ્રી પી.કે.લહેરી કરશે: સાંસદ નરહરિભાઈ અમીન અને પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિ
અમદાવાદ:
જાણીતા લેખિકા બીના પટેલના પુસ્તક ‘ સનાતનનો જયઘોષ’નું લોકાર્પણ તા – 18/1/2024 ગુરુવારના રોજ સદવિચાર પરિવારના હોલમાં થશે . ગુજરાત ના પૂર્વ મુખ્ય સચિવ અને સામાજિક અને અનેક જાણીતી ધાર્મિક સંસ્થાના અગ્રણી એવા આદરણીય શ્રી પી .કે .લહેરીજીના શુભ હસ્તે પુસ્તક ‘સનાતનનો જયઘોષ’નું વિમોચન થવા જઈ રહ્યું છે . આ શુભ અવસરે મુખ્યમહેમાન આપણા લોકલાડીલા રાજ્યસભાના સંસદ શિક્ષણ શાસ્ત્રી અને લોકસેવક શ્રી નરહરિભાઈ અમીન પધારવાના છે . અત્યંત પ્રતિભાવાન વરિષ્ઠ સાહિત્યકાર , અને તેજસ્વી અને વેધક કલમ ધરાવનાર પત્રકાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા અતિથિવિશેષનું પદ શોભાવવાના છે.
પાટીદાર મહિલા સંસ્થાના અધ્યક્ષ અને મીરામ્બિકા હાઈસ્કૂલના ગૌરવવંતા પ્રિન્સિપાલ શ્રી જિગીષાબહેન લેખિકાને શુભકામનાઓ આપવા પધારવાના છે.
બીના બહેનના પુસ્તક ‘ સનાતનનો જયઘોષ’માં પ્રભુ શ્રી રામ અને નવનિર્મિત શ્રી રામ મંદિર વિષે સુંદર અને સચોટ માહિતી આપી છે. સમાજના તમામ સ્તરના લોકો આ પુસ્તક વાંચી પ્રભુ રામના જીવન અને રામમંદિર વિષે જોડાયેલી મોટાભાગની તમામ માહિતીનો રસથાળ મેળવી શકશે.
હિન્દુઓના આરાધ્યદેવ શ્રી રામ વિષે ઘણું ચિંતન કરીને લેખિકાએ પુસ્તક આપણી સમક્ષ મૂક્યું છે. એક વાર આ પુસ્તક જરૂર વાંચવું રહ્યું.
22/1/2024ના રોજ જયારે અયોધ્યામાં નવનિર્મિત અદભુત રામમંદિરમાં શ્રી રામ પ્રભુના બાળસ્વરૂપ્ની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે, બીના બહેનના આ પુસ્તકને ઉમળકાભેર વધાવી લઈએ.
‘જય શ્રી રામ’