ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા આયોજીત શ્રી આઈ.એમ.નાણાવટી ૧૦ માં જ્ઞાનસત્રની પૂર્ણાહૂતિ યોજાઈ હતી. આજના જ્ઞાનસત્રના છેલ્લા દિવસે ગુજરાત યુનિવર્સિટીના કુલપતી નિરજા ગુપ્તાએ મારી ભાષા-મારૂ ગૌરવ, ભારતીય ભાષાઓ અને આપણી રાષ્ટ્રીય અસ્મીતા વિશે વક્તવ્ય આપ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે કોઇપણ દેશની પ્રગતીનો આધાર તેની ભાષા હોય છે. જેટલુ ભાષાનું ગૌરવ હશે એટલીજ તેની ભવ્યતા હોય છે વિશ્વની સફળ વ્યક્તીઓએ પોતાનું પ્રાથમીક શિક્ષણ માતૃભાષામાં મેળવ્યુ છે. પોતાની ભાષામાં આદાન-પ્રદાન કરવાથી સાચી વાત રજૂ કરી શકાય છે. અંગ્રેજી ભાષાનો અભાવ ના હોવો જોઈએ એજ રીતે અંગ્રેજી ભાષાનો પ્રભાવ પણ ના હોવો જોઈએ. આપણી ભારતીય સંસ્કૃતીમાં ભાષાનું મહત્વ હંમેશા રહ્યું છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે વૈજ્ઞાનીક રીતે પૂરવાર થયુ છે કે પોતાની ભાષામાં વાત કરવાથી સમજણ તથા તર્ક રીતે આપણે વિચારો વ્યક્ત કરી શકીએ છીએ. વિચારોની આપલે તથા જ્ઞાનની પરંપરા માતૃભાષામાં કરવી સરળ છે. ભારતની ઓળખ વિવિધતામાં એકતા છે તેનું મૂળ કારણ પણ દેશની બધીજ ભાષાઓને સન્માન સાથે સ્વિકારાય છે. મનોવૈજ્ઞાનીક રીતે પણ માતૃભાષા ઉત્તમ છે તેમ પૂરવાર થયુ છે. ૨૦૪૭ માં ભારતને વિકસીત રાષ્ટ્ર તરીકે બનાવવુ હોય તો દેશની બધીજ માતૃભાષાઓને સન્માન સાથે પ્રાથમીક શિક્ષણ માતૃભાષામાં આપવુ જોઈએ. કોલેજના પ્રા.મહેશ સોનારાએ પ્રાસંગોચિત વક્તવ્ય આપી કાર્યક્રમનું સંચાલન કર્યુ હતુ . પ્રા જય મિસ્ત્રીએ આભારદર્શન કર્યુ હતુ.