ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ એડવોકેટ્સ અને ટેક્સ પ્રેક્ટિશનર્સ એવા 1200 થી વધુ સભ્યો ધરાવતું ભારતના સૌથી જૂનું હોય એવું એક ટેક્સ બાર એસોસિએશન છે.
બંને એસોસિએશનએ સંયુક્ત રીતે 15મી અને 16મી માર્ચ, 2024ના રોજ ટુ ડે ટેક્સ કોન્ક્લેવ, 2024નું આયોજન કર્યું છે, જે પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા પર સતત પાંચમી ટેક્સ કોન્ક્લેવ છે. આ કોન્ક્લેવ જેબી ઓડિટોરિયમ, AMA ખાતે યોજાઈ રહ્યું છે, જ્યાં દેશભરમાંથી ઇન્કમટેક્સ અને જી.એસ.ટી.ના નિષ્ણાતો જ્ઞાન વહેંચવા માટે આવી રહ્યા છે.
ગઈ કાલે કોન્કલેવનું ઉદ્ઘાટન ગુજરાત હાઈકોર્ટના માનનીય જસ્ટિસ ભાર્ગવ કારિયા ના હસ્તે કરવામાં આવ્યું હતું. કોન્કલેવના બીજા દિવસે, દિવસની શરૂઆત ટેકનિકલ સેશનસ્ થી થઈ હતી.
ચોથા ટેકનિકલ સેશનને એડવોકેટ કે વૈથીશ્વરનએ સંબોધ્યું હતું, જેમાં તેમણે જી.એસ.ટી. કાયદા હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ પરના તાજેતરના વિવાદોના વિષય પર ચર્ચા કરી હતી. ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ જી.એસ.ટી. ના કાયદાના હૃદય સમાન છે અને તેને લગતા મુદ્દાઓ મોટા પ્રમાણમાં કરદાતાઓને અસર કરી રહ્યા છે. તેમણે વિવિધ ન્યાયિક ચુકાદાઓના પ્રકાશમાં વર્તમાન વિવાદો પર ચર્ચા કરી અને પાર્ટિસિપન્ટ્સના પ્રશ્નોના જવાબ આપ્યા.
પાંચમું ટેકનિકલ સેશન સિનિયર એડવોકેટ વી રઘુરામન દ્વારા સંબોધવામાં આવ્યું હતું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રતિનિધિત્વ કરવાના બહોળા અનુભવ સાથે, તેમણે જી.એસ.ટી.માં વર્તમાન કેસને આવરી લીધા, જે હાલમાં જી.એસ.ટી. જેવા નવા કાયદાને એક દિશા પ્રદાન કરી રહ્યા છે. તેમણે જી.એસ.ટી. કાયદાના વિવિધ ભાગોને આવરી લીધા અને તેના પર તેમના મંતવ્યો રજુ કર્યા.
છઠ્ઠું અને છેલ્લું ટેકનિકલ સેશન સિનિયર એડવોકેટ તુષાર હેમાણી દ્વારા સંબોધવામાં આવ્યું હતું. વિવિધ ઇન્કમટેક્સને લગતી બાબતોને હેન્ડલ કરવાનો બહોળો ન્યાયિક અનુભવ ધરાવતા તુષારભાઈએ આવકવેરા કાયદા હેઠળ જે ખરીદી બોગસ સાબિત થઇ છે તેના સંદર્ભમાં ઈન્ક્મટેક્સમાં પુનઃઓપનિંગના વિષય પર ચર્ચા કરી. આ એક એવો વિષય છે કે જે જી.એસ.ટી. વિભાગ દ્વારા બોગસ બિલિંગ પકડવાથી શરુ થાય છે છે અને તે ટેક્સ પેયરની ઇન્કમટેક્સ આકારણી માં પણ પરિણામી અસર કરે છે.
જી.એસ.ટી. પર બ્રેઈન ટ્રસ્ટ તે આ કોન્ક્લેવનું અંતિમ સેશન હતું. આ બ્રેઈન ટ્રસ્ટીઓ એડવોકેટ અભય દેસાઈ, એડવોકેટ જીગર શાહ, સી.એ. પુનિત પ્રજાપતિ અને સીએ રશ્મિન વાજાએ પાર્ટિસિપન્ટ્સના વિવિધ વ્યવહારુ પ્રશ્નોની ચર્ચા કરી હતી. બ્રેઈન ટ્રસ્ટીઓ દ્વારા જી.એસ.ટી. ને લગતા પ્રશ્નોની કાયદાકીય જોગવાઈઓ અને વિવિધ કોર્ટના ચુકાદાઓના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી હતી.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ એડવોકેટ્સ, ટેક્સ પ્રેક્ટિશનર્સ અને કન્સલ્ટન્ટ્સ સહિત 450+ થી વધુ સહભાગીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.