.૨૩ માર્ચ,૨૦૨૪,શનિવારે,સાંજે ૦૫-૩૦ કલાકે,ગોવર્ધનસ્મૃતિ મંદિર સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ,સંપાદક
મનહર શાંતિલાલ મોદીની ૨૧મી પુણ્યતિથિએ ‘ ઓમ તત્ સત્ ‘ શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું
હતું. ‘ ઓમ તત્ સત્ ‘માં મનહર મોદીનાં જીવન વિશે મનહર મોદીના ભાઈ નલિનકાન્ત મોદીએ (નરેશકાકા) અને મનહર મોદીની કાવ્યસૃષ્ટિ વિશે કવિ મણિલાલ હ.પટેલે આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું.આ પ્રસંગે કવિ મનહર મોદીના સુપુત્ર હંમેશ મોદી પરિવારજનો સહિત ઉપસ્થિત રહ્યા હતાં અને સાહિત્યકારો તથા કવિતાના ભાવકો-ચાહકોની હાજરી હતી.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.