એક અસુરનાં મનોરથ કેવાં ઊજળાં હોઇ શકે!
રવેચી મંદિર-રવથી પ્રવાહિત રામકથાનાં છઠ્ઠા દિવસે
બાપુએ જણાવ્યું કે રામચરિત માનસમાં ઘણા પાત્રો મનોરથ કરે છે.તુલસીદાસજી કહે છે મારી બુદ્ધિ રાંક છે મારો મનોરથ રાજા છે કેમ પૂરો થશે! લોકોને છાસ નથી મળતી અને હું અમૃતનો મનોરથ કરું છું કઈ રીતે મળશે!
પણ આજે એક અસુર-રાક્ષસનો મનોરથ કેવો હોય તેનો સંવાદ કરીએ.ક્યારેક માણસ દેવતા જેવો સજ્જન દેખાતો હોય પણ મનોરથ ખરાબ હોય એવું પણ બને.કહેવાતા આ સજ્જનોના મનોરથો ક્યારેક વિચિત્ર હોય છે.આપણા બધાના મનોરતો હંમેશા શુદ્ધ નથી હોતા.કથા સાંભળીને આત્મચિંતન જરૂરી કે મારા મનમાંથી ખાર ગયો કે નહીં.આ બધી આપણી બીમારી છે.
બાપુએ ‘કચ્છમિત્ર’ને યાદ કરતા કહ્યું કે કથા મંડપમાં છેલ્લે બેઠેલા માતાનો ઇન્ટરવ્યૂ લઈ અને એ ડોશીમાએ કેવી કેવી સરસ વાતો કરી જે આપણે શીખવા જેવી છે.જે કચ્છમિત્રએ કરેલી છે.
કોઈ બુદ્ધપુરુષ પાસે બેસવા,સેવા કરવાનું મળે,સાથે જવાનું મળે પછી કોઈ ભજન કે સાધન કરવાની જરૂર નથી.પણ ખાર નહીં રાખવાનો, અહંકાર નહીં કરવાનો,ચતુરાઈ નહીં કરવાની,એની પાસે ખોટું નહિ બોલવાનું.માનસનો અસુર કેવા રૂડા મનોરથ કરે છે રામના શરણે આવે ત્યારે કહે છે મારો જન્મ નિશિચર વંશમાં થયો છે અમને પાપ સહજ વ્હાલા હોય જેમ ઘુવડને અંધારું હોય છે.અમારી પાપપ્રીતિ સહજ હોય છે. આવા વિભીષણના મનોરથની નોંધ લેવી જોઈએ.રાવણનો મનોરથ પણ સારો છે એ કહે છે હું રામના બાણથી મુક્તિ પામું કારણકે મારો તામસ દેહ છે જેનાથી હું ભજન કરી શકીશ નહીં. વિભિષણના મનોરથમાંથી શીખીએ. રાવણે ચરણ પ્રહાર કર્યો ત્યારે વિભીષણ રામના શરણમાં જવા નીકળે છે અને કહે છે કે રામ સત્ય છે સમર્થ છે ધારે તે કરી શકે અને લંકા નાશવંત છે કાળને વશ છે અને વિભિષણ ફૂટ્યો નથી પણ એને રામનો અંકુર ફૂટ્યો છે મને કોઈ દોષ ન દેશો સત્યને શરણે જાવ છું એમ કરીને નીકળે છે.અને એક સાધુનું જવું,સાધુનું અપમાન તેની અવગના કેવું પરિણામ લાવી શકે રાક્ષસોનું આયુષ્ય ઓછું થયું કોઈ સાધુની અવગના થાય ત્યારે આપણી જાત આયુષ્યહીન થતી હોય એવું લાગે.
જીવનનો ઓડકાર લેવો હોય તો અભાવને ઐશ્વર્ય માનીને જીવવું.કોઈની આધીનતા ન કરવી;ગૌરી,ગ્રંથ અને ગુરુની આધીનતા કરવી.મનને દુષ્ટ ભાવ ન ભરવો,એ કોઢ છે. રસિક બનવું અરસિક ના બનવું. રસિક જીવનના ચાર રસ: ભોગરસ-વિવેક સાથેનો ભોગ.જે ક્ષીણ થતો જાય છે. શાંતરસ-જે ઉર્જા આપે છે. ભાવરસ-અખંડ હોય પણ અનંત ન હોય, પ્રેમરસ-જે અખંડ હોય છે આત્મા સુધી પહોંચાડે છે. જીવનમાં મૂર્છા બેહોશી ન આવવી જોઈએ.મૂઢતા ન રહેવી જોઈએ.પ્રમાદી ના બનીને પુરુષાર્થનો આશ્રય કરવો.
સાધુની અવગના કરવાથી,ઉપેક્ષા કરવાથી અખિલની હાની થાય છે.વૈભવ હીન થાય છે અને રાવણ અભાગિયો થયો છે.નિશિચરના મનોરથો ઉજળા છે એ કહે છે મને એ ચરણની રજ મળો જે ચરણની રજથી અહલ્યાનો ઉદ્ધાર થયો.વૈષ્ણવોએ ચરણ પ્રાપ્તિનો મનોરથ કરવો જોઈએ.પદ કે મુગટનો નહીં પણ રજનો મનોરથ કરવો જોઈએ.
ધનુષ્ય ભંગની કથાનો રસાળ પ્રસંગ કહેવામાં આવ્યો.
અમૃતબિંદુઓ:
માનસમાં કેવા-કેવા મનોરથો છે:
મનોરથ શબ્દનો પ્રયોગ ન કર્યો હોય એવા પણ પાત્ર માનસમાં છે.નારદજી વિશ્વમોહિની સાથે વિવાહનો મનોરથ કરે છે.
પ્રતાપ ભાનુ કલ્પો સુધી અજય રાજનો મનોરથ કરે છે.
દશરથને પુત્ર પ્રાપ્તિનો,મા કૌશલ્યને રામરાજ્યનો મનોરથ છે.
કૈકયીને કુસંગથી મળેલો મનોરથ છે.
રામ માટે કરેલો મનોરથ એ કલ્પતરુ છે,કુસંગથી થયેલો મનોરથ એ કળયુગનું ઠુંઠું છે.
મંથરાને દ્વૈષયુક્ત મનોરથ.
કેવટના મનમાં મનોરથ છે કે ચરણ પ્રક્ષાલન કરવું.
વનવાસી,આદિવાસીના મનોરથ અને સુતિક્ષ્ણને પણ પોતાના મનોરથ છે,શરભંગને પણ મનોરથ છે.
સજ્જનોને, દેવતાઓને પણ મનોરથ છે.