ગત દિવસોમાં ધૂળેટીના દિવસે ભાવનગરના તળાજા નજીક મણાર ખાતે શરીર પર લાગેલા રંગને દૂર કરવા ત્રણ મિત્રો મણારની ભાંખલ નદી પરના ચેકડેમમાં નાહવા પડેલા અને અજાણતા જ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બીજા લોકો મદદરૂપ બને એ પહેલા જ આ ત્રણે મિત્રોનાં કરુણ મોત નિપજયા હતાં.
બીજી તરફ ચોટીલાથી એક દર્દીને વઘુ સારવારની જરૂર પડતાં તેને રાજકોટ એમ્બ્યુલન્સ દ્વારા લઇ જતાં હતા તે દરમિયાન એમ્બ્યુલન્સ આગળ જતા ટ્રક સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ મા રવેચીધામ કચ્છ ખાતે ચાલતી રામકથા દરમિયાન આ સમાચાર પ્રાપ્ત થતાં તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ નેવું હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. રામકથાના ચોટીલા તેમજ મણાર સ્થિત શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે.