દેશમાં છેલ્લા 24 કલાકમાં 12781 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સાથે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 76700 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 18 દર્દીઓના મોત થયા છે. જ્યારે 8537 લોકો સાજા થયા છે. પાછલા 4 દિવસથી દરરોજ 12હજારથી વધારે કેસો આવી રહ્યા છે. 18 જૂને 13,216, 17 જૂને 12,847 અને ગઈ કાલે રવિવારે 12,899 નવા કેસ આવ્યા હતા.