મહારાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યારે દેવેન્દ્ર ફડણવિસે પ્રેસ કોન્ફરન્સ કરીને એક ચોંકાવનારી વિગત આપી છે. ફડણવિસે જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદે શપથ ગ્રહણ કરશે. મહત્વનું છે કે, એવા સમાચાર સામે આવ્યા હતા કે, દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.