કોરોના કહેર વચ્ચે શહેરમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી થઇ ગઇ છે. મળતી જાણકારી અનુસાર, સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સ્વાઇન ફ્લૂના એક દર્દીનું મોત થયું છે. શુક્રવારે રાતે નિધન થયાની પુષ્ટી કરવામાં આવી છે. સ્વાઇન ફ્લૂના દર્દીને દાખલ કરતા સમયે જ વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે શહેરમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી થઇ ગઇ છે. મળતી જાણકારી અનુસાર, સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સ્વાઇન ફ્લૂના એક દર્દીનું મોત થયું છે. શુક્રવારે રાતે નિધન થયાની પુષ્ટી કરવામાં આવી છે. સ્વાઇન ફ્લૂના દર્દીને દાખલ કરતા સમયે જ વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા હતા.
નારણપુરા અને સરખેજના એક- એક વ્યકિતનો સ્વાઈનફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂનો સ્પેશિયલ વૉર્ડ ઉભો કરાયો છે. વૉર્ડ ઉભો કરી બંને દર્દીની સારવાર શરૂ કરવામાં આવી. સ્વાઈન ફ્લૂ વૉર્ડમાં 80 બેડ તૈયાર કરાયા છે. 36 વેન્ટિલેટર બેડ પણ સ્વાઈન ફ્લૂ માટે તૈયાર કરવામાં આવ્યા છે.સ્વાઈન ફ્લૂ ઈન્ફલ્યુએન્ઝા A ને H1N1 વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે.