ચૂંટણીકાર્ડ ભારતીય નાગરિક હોય તેને જ મળતું હોવા છતાં કઈ રીતે નીકળ્યું તે તપાસનો વિષય: મામલતદાર સહિતના નિવેદનો લેવાનું શરૂ
ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ અત્યારે ભારતીય નાગરિકો માટે અત્યંત મહત્ત્વનો પૂરાવો ગણાય છે અને દેશના દરેક નાગરિક પાસે આ કાર્ડ હોય તે માટે સરકાર દ્વારા પણ વિવિધ પ્રકારની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે મહેસાણામાં પાકિસ્તાનથી આવીને રહેતાં 10 લોકોના આધારકાર્ડ અને 6 લોકોના ચૂંટણીકાર્ડ નીકળી જતાં આવું કઈ રીતે બન્યું તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મહેસાણાની તદ્દન નજીક આવેલા લાખવડ ગામે છેલ્લા કેટલાક વર્ષથી રહેતાં 16 પાકિસ્તાની નાગરિકોએ આધારકાર્ડ-ચૂંટણીકાર્ડ કઢાવી લીધાનો મુદ્દો પ્રકાશમાં આવતાં જ એસપીએ એસઓજીને તપાસનો આદેશ કરતાં ટીમે મામલતદાર કચેરીમાં અધિકારીઓ સહિતના નિવેદન લેવાનું શરૂ કર્યું છે. આ પહેલાં સાતેક વષ પહેલાં મહેસાણા નજીક આવેલા કુકસ ગામની સીમમાં મુળ પાકિસ્તાનના કેટલાક હિન્દુ પરિવારો સ્થાયી થયા હતા. સમય જતાં કેટલાક પરિવારો લાખવડ તો કેટલાક દેલા સહિતના ગામોમાં જતા રહ્યા હતા.
આ પૈકી લાખવડ ગામે રહેતાં પરિવારના કેટલાક સભ્યોના ચૂંટણીકાર્ડ અને આધશરકાર્ડ મહેસાણા સિટી મામલતદાર કચેરીમાંથી કાઢવામાં આવતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.નિયમ પ્રમાણે ભારતીય નાગરિક ન હોય તો તેને ચૂંટણીકાર્ડ ક્યારેય મળી શકતું નથી. ચૂંટણીકાર્ડ મેળવવા માટે ભરવામાં આવતાં ફોર્મ નંબર-6માં ભારતના નાગરિક તરીકે એક ડેકલેરેશન કરવાનું હોય છે અને ખોટું સોગંદનામું કરવું એ ગુનો બને છે એટલા માટે છ જેટલા ચૂંટણીકાર્ડ નીકળ્યા કેવી રીતે તે તપાસનો વિષય બની જાય છે. જો પાકિસ્તાની નાગરિક પાસે લાંબાગાળાના વિઝા હોય તો આધારકાર્ડ નીકળી શકે પરંતુ આધારકાર્ડના આધારે ચૂંટણીકાર્ડ ક્યારેય ન નીકળી શકે.
Suresh vadher
9712193266