અમદાવાદ: અમદાવાદમાં પિઝાના બમણાં થયેલા આઉટલેટ આ બાબતનો પુરાવો આપે છે કે દેશ-દુનિયાના અન્ય ખૂણાની જેમ અમદાવાદમાં પણ પિઝાપ્રે મીઓ કમ નથી. ત્યારે વિકેંડમાં અમદાવાદના શહેરીજનો દિલ ખોલીને પિત્ઝા ખાય છે.
ઈટાલી તરફથી દુનિયાને સૌથી સારી ભેટ મળી હોય તો તે છે પિઝા. અલગ-અલગ ટોપિંગ્સ અને ચીઝથી ભરપૂર પિઝાનો ગરમ-ગરમ ટુકડો નાના અને મોટા સૌને ભાવે છે. દેશ-દુનિયાના અન્ય ખૂણાની જેમ અમદાવાદમાં પણ પિઝાપ્રેમીઓ કમ નથી. કોરોના કાળ પછી અમદાવાદમાં પિઝા ઝાપટી જતાં લોકોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. પિઝાના બમણાં થયેલા આઉટલેટ આ બાબતનો પુરાવો આપે છે. મહામારી પહેલા એટલે કે 2019-20માં અમદાવાદમાં પિઝાના 125 આઉટલેટ હતા અને હાલ તેની સંખ્યા 250 થઈ છે.
Suresh vadher
9712193266