ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસની વાર્ષિક શિબીરમાં આજરોજ ૨૩મી જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતિના પરાક્રમ દિવસ તરીકે સેલીબ્રેશન કરવામાં આવ્યું હતુ. “ભારતની સ્વતંત્રતા ચળવળમાં નેતાજીનું પ્રદાન” વિષય ઉપર મુખ્ય વક્તા તરીકે શહેરની એસ.વી. કોલેજના પ્રિન્સીપાલ જગદીશ ચૌધરીએ કહ્યું હતુ કે આજે દેશના તમામ નાગરીકો નેતાજીને પૂજનીય ભાવથી વંદન કરે છે. “તુમ મુજે ખુન દો મેં તુમ્હે આઝાદી દુંગા” નું સુત્ર આપનાર નેતાજી દેશપ્રેમી તથા ભારત દેશને આઝાદ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાંધીજી સાથેના મતભેદો હોવા છતાપણ તેઓને પિતા સમાન માનતા હતા. સુભાષચંદ્ર બોઝ માત્ર અહિંસક લડતમાં માનતા નહોતા પરંતુ આઝાદી માટે જે કાંઈ કરવુ પડે તેની તૈયારી હતી. આઝાદ હિંદ ફોઝની રચના કર્યા બાદ પોતાની રીતે આઝાદીની લડાઈ લડ્યા હતા. જયહિંદનું સૂત્ર આપનાર નેતાજીએ ખુબજ સંઘર્ષ કરીને પોતાનું સમગ્ર જીવન દેશ માટે ન્યોછાવર કર્યું હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે નેતાજીએ પોતાની હોનહાર કારકીર્દી છોડીને દેશની સેવા કરી હતી. સુભાષચંદ્ર બોઝનો સ્વતંત્રતા સેનાની તરીકે સમયગાળો પ્રમાણમાં ઓછો રહ્યો પરંતુ ખુબજ જીવંત રહ્યો હતો. આ કાર્યક્રમમાં એન.એસ.એસના શિબીરાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.