આજે ૧૩ એપ્રિલ છે. આ દિવસ ભારત ની આઝાદી માટે મોટો જુવાળ પેદા કરનારો હતો.સોશિયલ મિડિયા માં લટાર મારી. આશા હતી કે ક્યાંક તો આ દિવસ ની મહત્વતા પર પોસ્ટ કે કંઇક હશે, પણ અફસોસ કંઈજ નથી. આ દિવસે જલિયાવાલા બાગ થયો હતો. જનરલ ડાયર નો એક શબ્દ – ફાયર… અને હજારો ( યસ. હજારો.ત્યાર બાદ અંગ્રેજો એ આંકડો છુપાવવા બનતી કોશિશ કરી હતી. આજે હત્યા નો જે આંકડો બતાવવા માં આવે છે એ ખોટો છે.) નિર્દોષ લોકો ના જીવ ગયા. ચિત્કાર, ભાગો, ભાગો… લોહી ના ખાબોચિયાં માં તરફડતા હિન્દુસ્તાનીઓ, નાના નાના ભૂલકાંઓ, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો… અને સામે અટ્ટહાસ્ય કરતા ક્રૂર
અંગ્રેજો. આ અમાનવીય ઘટના ઘટી ત્યારે એક દશેક વર્ષ છોકરો દશેક કિલોમીટર થી અરવાણા પગે દોડતો આવ્યો હતો. લાશો ના ઢગલા જોઈ રહ્યો વિસ્ફારિત નેત્રે. એ ભગત હતો. અહીં થી, આ દ્ર્શ્ય જોઈ ને ભગત નો ક્રાંતિકારી તરીકે જન્મ થયો એમ કહી શકાય.૧૩ એપ્રિલ ૧૯૧૯ ના રોજ આજ ના દિવસે જલિયાવાલા બાગ હત્યા કાંડ થયો હતો. અહિંસા થી આઝાદી મળી, તો આ હત્યા કાંડ શુ હતો? હોળી રમાઈ હતી લોહી ની….!
એક સર્વ સામાન્ય વાક્ય છે – આઝાદી મળી. પણ એને બદલે આઝાદી છીનવી વાક્ય વધુ યોગ્ય અને ખુમારી વાળું રહેશે. મળી માં જાણે કે ખેરાત, દયા, ઉપકાર ઝલકે છે. જ્યારે છીનવી માં ખુમારી ધબકે છે.
ભગત સિંહ જેવો જુવાળ ગાંધી માટે નહોતો એમ કહીએ તો આતિશયોક્તી નથી. અલબત, બંને ના પોત પોતાનાં માપદંડ હતા. એક પીઢ નેતા હતા જે દેશ – દુનિયા ફરી આવ્યા હતા, લગ્ન સંસાર ભોગવ્યો હતો, ચાર બાળકો હતા, ઇચ્છુક કારકિર્દી બનાવી લીધી હતી, વકિલાત ની ધીકતી પ્રેક્ટિસ હતી,મહાત્મા સ્થાપિત થઈ ગયા હતા.બીજા હતા લબરમૂછીયા યુવાન. જેના લગન થવું થવું થતાં હતાં, પણ સંસાર સુખ માણવા કરતાં દેશ માટે મરી ફીટવા નું વધુ ઉચિત માન્યું.પ્રાથમિક શિક્ષણ બંગા માં થયું. લાહોર ની ડી. એ. વી. હાઇસ્કુલ માં ભણ્યા. દરમિયાન, ભાઈ પરમાનંદ અને માસ્તર જયચંદ વિધ્યાલંકાર નો પ્રભાવ પડ્યો. રાષ્ટ્રવાદ નાં અંકુર આ બંને એ રોપ્યાં. શરૂ માં કોંગ્રેસ માં જોડાયા,પણ અમુક કારણોસર છોડી દીધી. આ “અમુક” એટલે નીતિઓ જ હોઈ શકે. આગળ ભણી ને સરકારી નોકરી તો કરવી નહોતી એટલે કૉલેજ અધવચ્ચે જ છોડી દીધી. અસહકાર આંદોલન ની ચળવળ દેશ ભર માં ચાલતી હતી. હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન ના સક્રિય સભ્ય રહ્યા. જેમાં મહામંત્રી પણ બન્યા.૧૯૨૫ માં નવ જવાન ભારત સભા ની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા સુખદેવ , યશપાલ, ચરણ વોહરા, ચંદ્ર શેખર આઝાદ, યતિન્દ્રનાથ દાસ જેવા ક્રાંતિકારીઓ સાથે મુલાકાત – મિત્રતા થઈ. ખુબ સક્રિય રીતે યુવાનો મળી ને અંગ્રેજો વિરૂદ્ધ કામગીરી બજાવી. યતિન્દ્રનાથ ને બોંમ બનાવતા આવડતો, એમણે ભગતસિંહ તથા અન્ય મિત્રો ને બોંમ બનાવતાં શીખવ્યું.૧૯૨૬ ના દશેરા ના દિવસે બોંમ ફોડ્યો, પણ ભગતસિંહ વિરૂદ્ધ કોઈ પુરાવા ન મળતાં નિર્દોષ છોડી મૂકવા માં આવેલ. ઉંમર લાયક થતાં માતાપિતા તરફ થી લગ્ન નું દબાણ થવા લાગ્યું. એના થી બચવા ઘર છોડી ને લાહોર ભાગી ગયા. લાહોર થી ગુપ્તવેશે દિલ્હી ગયા. જ્યાં થી કાનપુર ગયા.રાષ્ટ્રવાદી સામાયિકો ” અર્જુન “, “પ્રતાપ” અને અન્યો માં લેખો લખી ગુજરાન ચલાવ્યું. દેશ – દુનિયા માં ચાલતી ઉથલ પાથલ પર ખુબ ઉંડો અભ્યાસ કર્યો. માર્કસવાદ, સમાજવાદ, સોવિયત સંઘ, મોટી ક્રાંતિઓ વિષે ઊંડું વાંચન કર્યું. સમજવા માંગતા હતા કે આઝાદી, બદલાવ કેમ આવતા હોય છે.સાહિત્ય વાંચન કરનારી વ્યક્તિ અંતે પોત પોતાના ક્ષેત્ર માં સફળતા મેળવતી હોય છે. વાંચવું એટલે દ્રષ્ટિ કેળવવી. દરેક વાત, બાબત, ઘટના ને તીવ્રતા થી સમજી શકાય. આટલું સમજાઈ ગયું એટલે ખુદ વાંચન કરે અને અન્યો ને પણ વાંચવા ની પ્રેરણા આપે. અસહકાર આંદોલન વર્ષો સુધી ચાલ્યો હતો. જેમાં ભગતસિંહ પણ જોડાયા હતા. આ આંદોલન માં જોડાવા માટે જ અભ્યાસ પડતો મૂક્યો હતો.૧૯૨૦ થી ૧૯૨૨ સુધી ચાલ્યો. ત્યાર બાદ પણ ખૂણે ખાંચરે આ આગ ભડકતી રહી.
ભગતસિંહ નાના હતા ત્યારે જ દેશ સેવા નાં સપનાં જોતાં થઈ ગયા હતા. આસપાસ બનતી ઘટનાઓ ખુબ પ્રભાવિત કરતી હોય છે. જલિયાવાલા બાગ હત્યા કાંડ થયો ત્યારે ભગત ની ઉંમર ૧૨ વર્ષ ની હતી. આ ઘટના સાંભળી ને સૌ કોઇ માં રોષ ભભુકી ઉઠયો હતો. એમાં એક બાળ ભગત પણ સામેલ. લોકો નાં ટોળે ટોળાં બાગ તરફ ભાગતા હતા. ભગત પણ ૧૨ કિલોમીટર ચાલી ને બાગ પર પહોંચે છે. શું જુવે છે? લાશો નાં ઢગલા, લોહી ની પિચકારીઓ, અર્ધ મરેલા માણસો ની ચીસો… શું વિચાર આવ્યો હશે બાળ ભગત ને? જેણે નાની ઉંમરે બંદૂકો વાવી હતી. ક્રોધાઅગ્નિ સળગી ઉઠી હશે. ભ્રકૂટી તંગ થઇ હશે. આંખો માં અંગારા ઉઠ્યા હશે. કેમ માર્યા? એવો અશબ્દ સવાલ જરૂર થયો હશે.ત્યારે, જાણે – અજાણે ક્રૂર અંગ્રેજો ને પાઠ ભણાવવા નું નક્કી થઈ ગયું હશે…!
લાલા લજપતરાય પર અંગ્રેજો એ લાઠી ચાર્જ કરી ને ક્રૂર મોત આપ્યું, આથી ખુબ ક્રોધિત થયેલ.૧૯૨૮ માં સાયમન કમીશન ના વિરોધ માં ભાગ લેનારા ઓ અન્ય પણ હતા. કેટલાય લોકો નાં મોત થયાં હતાં. લાલા મોટા નેતા હતા, આથી ઘટના સામે લોકો ની નજર ગઈ, અન્યથા આવી લાઠી ચાર્જ તો રોજ થતી. દેખો ત્યાં ઠાર ના ઓર્ડર પણ અવાર નવાર નીકળતા. લાલા લજપતરાય નાં કરુણ મોત થી ભગત વિચલિત થઈ ગયા. અંગ્રેજ અધિકારી મી. સ્ટોક ને ઠાર કરવા તૈયારી આદરી.૧૭ ડિસેમ્બર,૧૯૨૮ નાં રોજ સવા ચાર વાગે એ. એસ. પી. સાંડર્સ ને રાજગુરુ એ ગોળી મારી દીધી હતી.
આ વિષય પર કેટલીયે ફિલ્મો બની છે, અસંખ્ય પુસ્તકો લખાયાં છે.૮ એપ્રિલ,૧૯૨૯ નાં બટુકેશ્વર દત્ત, ભગત સિંહ દિલ્હી માં કેન્દ્રીય ધારાસભા ચાલુ હતી ત્યારે બોંમ ફેંકી ને નાસવા ને બદલે ધરપકડ વ્હોરી લીધી હતી. ગોડસે નાં કિસ્સા માં પણ આમ જ બન્યું હતું. ભાગવા ને બદલે પોલિસ ને સામે થી સાદ પાડી ને બોલાવ્યા હતા અને ધરપકડ આપી હતી.૭ ઓકટોબર,૧૯૩૦ નાં રોજ ફાંસી નો ચુકાદો આવ્યો હતો.ચુકાદા અને ફાંસી વચ્ચે છ મહિના જેટલો સમય હતો. કોઈ અગ્રીમ નેતાઓ, કે જેમનું અંગ્રેજો સામે કંઇક ઉપજતું હતું, તેઓ આગળ નહોતા આવ્યા. જેનો કોઈ ભાવ નહોતું પુછતું તેઓ અવાજ કરતા હતા કે ફાંસી રોકો, ફાંસી રોકો. પણ તમામ મોટા નેતાઓ એ ખંધુ મૌન ધારણ કરી લીધું હતું. અંતે ઇન્કલાબ જિંદાબાદ નાં નારા વચ્ચે ત્રણ યુવાનો ફાંસી નાં માંચડે ઝુલી ગયા હતા…!
*બટુકેશ્વર દત્ત*
એ વખત ની સરકાર થી ઘણી ભૂલો થઈ હતી. એ ભૂલો જ હતી? જાણી જોઈ ને કરવા માં આવેલી ભૂલો ને રાજ રમત કેમ ન કહેવી?
ગોડસે, આપ્ટે ,ભગત, સાવરકર , આઝાદ, લાલા, નેતાજી, ધિંગગરા… જેવા લાખો સ્વાતંત્ર વીરો ને હમેશા નજર અંદાજ કરવા માં આવ્યા. ચલો, ગોડસે ને આ લિસ્ટ માં થી કાઢી નાખો. તો અન્યો માટે સરકારે શું કર્યું? સરકાર દ્વારા વીરો માટે ખાસ કંઈ નહોતું થયું. આજે હવે થોડું કામ થઈ થઈ રહ્યું છે. જ્યાં પહેલી વખત તિરંગો નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા લહેરાવવા માં આવ્યો હતો એ જગ્યા આંડોમાન પર આજે ભવ્ય રીતે તિરંગો લહેરાઈ રહ્યો છે. આઝાદી પહેલા ફાંસી આપવામાં આવી હતી, એવા શહીદો નું લિસ્ટ ઘણું લાંબુ છે. આજીવન કારાવાસની સજા ભોગવી ને બહાર આવેલા વીરો માટે સરકારે શું કર્યું હતું? ફાંસી રોકી નહોતા શક્યા,(ઈચ્છત તો જરૂર રોકી શકાય એમ હતી.) પણ આઝાદી બાદ વર્ષો સુધી જીવિત રહેલા આજીવન કારાવાસ ની સજા ભોગવનાર ને ક્યારેય સરકારે યાદ નથી કર્યા. કેટલી મોટી ઉપેક્ષા. જેમનાં કારણે આઝાદી મળી એમનાં નામો નો જયઘોષ થતો, જે ક્ષણિક હતો, પણ તેઓ જીવિત હતા તોય યાદ કરવા માં નહોતા આવ્યા. દેશ ભક્તિ માત્ર ૨૬ મી જાન્યુઆરી અને ૧૫ મી ઓગસ્ટ સુધી સીમિત થઈ ગઈ હતી.( આજે પણ એમજ છે.) વીરો, જે સદેહે જીવિત હતા, એમને સંસદ માં બોલાવી ને સન્માન કરી શકાયું હોત, વર્ષ માં એક વાર એમને ૨૬ મી જાન્યુઆરી પરેડ માં અતિથિ વિશેષ પદે બોલાવી શકાયા હોત, જીવતે જીવ ભારત તરફ થી શ્રેષ્ઠ પુરસ્કાર એનાયત કરાઇ શકાયો હોત. ના, આવું કંઈ નહોતું થયું. આ ભૂલ હતી? ના, જાણી જોઈ ને આચરવા માં આવેલું મહા પાપ હતું. ઘણાં એવા વીરો આઝાદી બાદ ઘણાં વર્ષો જીવિત રહ્યા, પણ ક્યારેય, ભુલ થી પણ સરકારો દ્વારા એમને યાદ નથી કરવા માં આવ્યા.
જસ્ટ થિંક, આઝાદી ના કાર્યક્રમો થઈ રહ્યા હતા, પણ જીવિત વીરો ને ભુલ થી પણ યાદ કરવા માં ન આવ્યા…! આ ભૂલ હતી? ના. જાણી જોઈ ને કરવા માં આવેલ ભુલ હતી.!!
બટુકેશ્વર દત્ત નો જન્મ પશ્ચિમ બંગાળ માં આવેલા બર્ધમાન જિલ્લા નાં ઓરી ગામ ના ગોસ્ટા બિહારી દત્ત ને ઘેર તારીખ ૧૮ નવેમ્બર,૧૯૧૦ નાં રોજ થયો. બટ્ટુ, બીકે દત્ત, મોહન એમનાં હુલામણાં નામો હતાં. પી. પી. એન.હાઇસ્કુલ ( કાનપુર) માં થી સ્નાતક થયા. ચંદ્રશેખર આઝાદ, ભગત સિંહ જેવા કેટલાય ક્રાંતિકારીઓ નાં નજીક નાં સાથીદાર રહ્યા.૧૯૨૪ માં ક્રાંતિકારીઓ ને મળ્યા. હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન , નૌ જવાન ભારત સેના જેવાં કેટલાંય સંગઠનો માં સક્રિય ભૂમિકા ભજવી. એસેમ્બલી માં ભગત સિંહ સાથે તારીખ ૮ એપ્રિલ ,૧૯૨૯ નાં રોજ દિલ્હી ની સેંન્ટ્રલ લેજિસ્લેટિવ માં બૉમ ફોડ્યો ત્યાર થી અંગ્રેજો ની નજર માં ચડી ગયા. ભગતસિંહ સાથે મળી ને જેલ માં કેદીઓ સાથે થતા ગેરવર્તાવ બાબતે ઐતિહાસિક ભુખ હડતાળ કરી હતી.
બોંમ બનાવતા પણ શીખ્યા હતા. ક્રાંતિકારીઓ ને ઉગતા જ ડામવા માટે અંગ્રેજ સરકાર દ્વારા એક કાનુન લાગુ કરવામાં આવ્યો, જેનું નામ હતું ડિફેન્સ ઑફ ઇન્ડિયા.૧૯૧૫ માં લાગુ કરવામાં આવેલ આ કાયદા નું નામ ફરી એકવાર વાંચી જાઓ. ડિફેન્સ ઑફ ઇન્ડિયા? ડિફેન્સ તો ક્રાંતિકારીઓ કરી રહ્યા હતા અંગ્રેજો સામે. તો અંગ્રેજો કોના થી ઇન્ડિયા ને ડિફેન્સ કરી રહ્યા હતા? આ કાનુન હેઠળ પોલીસ ને કોઈ પણ ધરપકડ કરી શકે. આ કાયદા નો વિરોધ કોંગ્રેસે નહોતો કર્યો.( ક્યાં થી કરે, કોંગ્રેસ નાં કેન્દ્ર માં ખુદ અંગ્રેજો હતા.) પણ ભગત જેવા વીરો એ જરૂર વિરોધ કર્યો. એ જમાના માં એક ઘટના ઘણી ચર્ચિત હતી. ફ્રેન્ચ ક્રાંતિકારી એ ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ પર બોંમ ઝીંક્યો.. આ ઘટના થી પ્રેરિત થઈ ને ભગત, બટુક સહિત ની ટોળકી એ બોંમ ફેંક્યો. પણ ભાગ્યા વગર ધરપકડ આપી. ત્યારે આઝાદી ના નારા લગાવ્યા હતા. આ યોજના સમજી વિચારી ને બનાવી હતી. સિંહ – દત્ત વિઝિટર ગેલેરી માં ઘસી ગયા અને બે બોંમ ફેંક્યા. ધડાકો થયો. ધુમાડા થી ખંડ ભરાઈ ગયો. લોકો તિતર બિતર થઈ ગયા. પણ આ બંને અડીખમ ઉભા રહ્યા. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ… ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું. પત્રિકા હવા માં ઉછાળવા માં આવી. જેમાં લખ્યું હતું – ” આ બોંમ ધડાકો વેપાર ,વિવાદ અને જાહેર સલામતી કાયદો અને લાલા લજપતરાય ની હત્યા નાં વિરોધ માં કરવા માં આવ્યો હતો.”
નાની મોટી ઈજાઓ થઈ હતી, પણ કોઈ હત્યા નહોતી થઈ.એવો કોઈ ઈરાદો પણ નહોતો.ત્યાર બાદ બંને એ કહ્યું હતું કે આ ઈરાદા પુર્વક નું આયોજન હતું. આ મુકદમો ભારતીય દંડ સંહિતા ૩૦૭ અને કલમ ચાર હેઠળ ચલાવવામાં આવ્યો, જેમાં ફાંસી, આજીવન કારાવાસની સજા આપવા માં આવી. દેશ નિકાલ ની સજા કરવા માં આવી હતી. અંદામાન નિકોબાર ની સેલ્યુલર જેલ માં મોકલવા માં આવેલ. આ જેલ નાં દર્શન કરવા નું સૌભાગ્ય ઘણાં વર્ષો પહેલાં આ લેખક ને પ્રાપ્ત થયેલ. ત્યારે એ સ્થળ ની મહતત્તા આજે સમજાય છે એટલી નહોતી સમજાઈ. આ સ્થળ હતું, જ્યાં વીર સાવરકર જેવા કંઈ કેટલાંય દેશ ભક્તો એ વર્ષો નાં વર્ષો એકલતા માં અનેક ત્રાસદી વચ્ચે કાઢયાં. કેટલાંય નાં પ્રાણ પંખેરું ઉડી ગયા. દુર્ગમ વિસ્તાર, વાતાવરણ માં આયખું કાઢી નાખનારાઓ ને કેમ ભૂલી શકાય? આઝાદી બાદ સ્વાતંત્ર સેનાનીઓ માટે કાળજી રાખવી જોઈએ, એને બદલે નરી ઉપેક્ષા કરવામાં આવી હતી. સ્વાતંત્ર સેનાની નું સર્ટિફિકેટ બનાવવા માં ખુબ ભટકવું પડતું. સાબિત કરવું પડતું કે અમે આઝાદી ની લડાઈ માં ભાગ લીધો હતો. પણ સાબિત કેમ કરવું? એ જમાના માં આજ ની જેમ મોબાઈલ તો હતા નહીં કે, સેલ્ફી પાડી રાખે. જેલ માં ગયેલાઓ, સજા પામેલા લોકો ને જ સ્વાતંત્ર સેનાની માનવા માં આવ્યા. એ ઉપરાંત થોડા લોકો ને આ બિરુદ મળ્યું હોવું જોઈએ, પણ મોટા ભાગના સ્વાતંત્ર સેનાનીઓ એટલે આગળ નહોતા આવ્યા કે સાબિત કેમ કરવું? અને એવી કોઈ ઈચ્છા એમની હતી પણ નહીં. એમને તો દેશ ની આઝાદી સાથે મતલબ હતો. હજારો, લાખો લોકો આઝાદી બાદ વર્ષો સુધી જીવિત રહ્યા. સરકારે એમને નવાજ્યા નહીં. જેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા એ પણ કોઈ માંદગી માં તો કોઈ કારમી ગરીબી માં સબડી ને મર્યા. કેમકે જવાની તો રાષ્ટ્ર ને સમર્પિત કરી દીધી હતી. પાછલી ઉંમરે ક્યાં જવું રોટલા રળવા? અનેક સ્વાતંત્ર સેનાનીઓ કાળી મજૂરી કરી ને પેટિયું રળતા. પેન્શન ને એવું બધું તો ઝુઝ લોકો માટે ઉપલબ્ધ હતું. છતાં, કોઈ સ્વાતંત્ર સેનાનીઓ એ અવાજ ઉઠાવી ને માતૃભૂમિ ની આઝાદી ને બદનામ નહોતી કરી. કોઈ એ હો હલ્લા નહોતા કર્યા. સ્વાતંત્ર સેનાનીઓ એ સંગઠન બનાવી ને હમારી માંગે પુરી કરો એવા બખાળા નહોતા કાઢ્યા. જેમ તેમ જીવી ગયા… પણ શાન થી જીવી ગયા..
આઝાદી પહેલા અને બાદ માં બધું જ ગાંધી ની આસપાસ વણી લેવા માં આવ્યું હતું…!
*અવતરણ*
બે નેતા.
એક કહેતા કહેતા –
તુમ મુઝે ખુન દો, મેં તુમ્હે આઝાદી દુંગા…!
બીજા નેતા –
કોઈ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો ગાલ આગળ ધરો…!
ક્યા નેતા વિઝનરી હતા? થપ્પડ ખાનારા કે ખુન લેનારા?
( ક્રમશ)