ભારતના સંવિધાન લખનારા આપણા સૌના બાબાસાહેબ આંબેડકર ની132 મી જન્મ જયંતી રંગે ચંગે ઉજવાઈ હતી, ત્યારે લાખો જનમેદની ગાંધીનગર ખાતે ગુજરાતના દરેક ઠેકાણેથી તેમના જન્મદિને રેલી સ્વરૂપે આવી હતી. ભારતના બંધારણના પ્રણેતા એવા બાબાસાહેબ આંબેડકરે દેશને ઘણું જ આપ્યું છે, દેશને નવી રાહ ચીધી છે , ત્યારે દર વર્ષે એટલે કે 14 એપ્રિલના રોજ તેમનો જન્મદિવસ ઉજવાય છે, ત્યારે ગાંધીનગર ખાતે 132 કિલોની કેક, તથા રામકથા મેદાન પાસે લાખો જનમેદની ને દર્શન કરવા કાંસાની મૂર્તિ એવા આબેહૂબ લાગે તેવા કાંસાની સ્ટેચ્યુના દર્શન લાખો જનમેદનીએ 14 એપ્રિલના રોજ કર્યા હતા, ત્યારે કાર્યક્રમ સંપન્ન થયા બાદ બે દિવસથી 41 ડિગ્રી તાપમાનમાં બાબાસાહેબ આંબેડકર તપી રહ્યા છે, ક્યારેક પ્રેમથી ઊભી કરેલ સ્ટેચ્યુ હવે તડકામાં જે બાબાસાહેબ તપી રહ્યા છે, હવે તેમને કપડું ઓઢાડીને માન સન્માન જાળવો એવું લોકો કહી રહ્યા છે, ત્યારે હવે રામકથા મેદાનમાં પબ્લિક દેખાતી નથી તો હવે આ સ્ટેચ્યુને ઉતારો તેવી સૌ કોઈની શુભેચ્છકોની લાગણી છે,
લાખો જનમેદની આવીને બાબાસાહેબના દર્શન કરીને ગઈ પણ હવે ૪૧ ડિગ્રીમાં તપતા બાબા સાહેબ માટે સૌ કોઈનો વિચાર સન્માન જાળવવાનો હોય તેવું લોકો કહી રહ્યા છે, ત્યારે ઇતિહાસમાં પ્રથમ વાર આટલી જનમેદની જીજે 18 ખાતે જોવા મળી હતી