પ્રયાગરાજમાં પત્રકાર બનીને આવેલા ૩ હુમલાખોરોએ માફિયા અતીક અને અશરફની હત્યા કરી હતી. આ ઘટના બાદ પત્રકારોની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર સતર્ક થઈ છે. મળતી માહિતી મુજબ PM મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહમંત્રાલય પત્રકારોની સુરક્ષા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (SOP) તૈયાર કરશે. પત્રકાર બનીને આવેલા લોકોએ માફિયાની હત્યા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે.