મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણે મોટું એલાન કર્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં CM શિવરાજે કહ્યું કે, હવે મંદિરોથી જોડાયેલી જમીનોની હરાજી કલેક્ટર નહીં પરંતુ આ જમીનની હરાજી હવે મંદિરથી જોડાયેલા પુજારી કરી શકશે. લાંબા સમયથી આ માંગ કરાઈ રહી હતી કે મંદિરોમાં તંત્રની દખલ બંધ કરવામાં આવે અને પુજારીઓને તેમનો હક આપવામાં આવે. તો બ્રાહ્મણ કલ્યાણ બોર્ડ બનાવવાનું પણ એલાન કર્યું છે.