લાઉડ સ્પીકરના ઉપયોગને લઈને આખા દેશમાં રાજકીય ધમાસાણ ચાલી રહી છે. એવામાં એ જાણવું મહત્ત્વનું છે કે લાઉડસ્પીકરના ઉપયોગની મંજૂરીને લઈને કોર્ટોનું શું વલણ રહ્યું છે. દેશના અલગ અલગ હાઇ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આ મુદ્દો ઊઠતો રહ્યો છે. તેને લઈને સુપ્રીમ કોર્ટના 2 આદેશ મહત્ત્વપૂર્ણ છે. 18 જુલાઇ 2005 અને 28 ઓક્ટોબર 2005ના રોજ સુપ્રીમ કોર્ટે માન્યું હતું કે શાંતિથી, ધ્વનિ પ્રદૂષણ વિનાનું આર્ટિકલ 21 હેઠળ મળેલા ‘જીવવના અધિકાર’નો હિસ્સો છે.
અભિવ્યક્તિની આઝાદીનો સંદર્ભ આપીને બાકી લોકોને પોતાની વાત સાંભળવા માટે બાંધ્ય નહીં કરી શકાય. 18 જુલાઇ 2005ના રોજ આપવામાં આવેલા આદેશોમાં સુપ્રીમ કોર્ટે રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર/મ્યુઝિક સિસ્ટમ/ફટાકડાના ઉપયોગ પર સંપૂર્ણ રીતે રોક લગાવી દીધી હતી. જસ્ટિસ આર.સી. લોહાટી અને જસ્ટિસ અશોક ભાનની બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું કે ધ્વની પ્રદૂષણથી આઝાદી આર્ટિકલ 21 હેઠળ જીવનના અધિકારનો જ એક હિસ્સો છે.