ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા આજરોજ અમદાવાદ શહેરનો ૬૧૩ મો સ્થાપના દિન યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે એક લોકવાયકા પ્રમાણે પાટણ જોઇને અમદાવાદ વસ્યું એમ કહેવાય છે. એક પ્રચલીત ઐતિહાસીક માન્યતા મુજબ અમદાવાદની સ્થાપના બાદ પાટણથી લગભગ ૨૦૦0 થી વધુ ગાડાઓ ભરીને પથ્થરો લાવવામાં આવ્યા હતા. આ પથ્થરોથી અમદાવાદ શહેરના વિવિધ સ્થાપત્યોનું નિર્માણ થયું હતુ. દરેક સ્થાપત્ય રેતીલા પથ્થરોથી બનેલું છે જે પાટણના સ્થાપત્યોના પથ્થરો જેવા છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજ સિટીનું બીરૂદ પ્રાપ્ત કરેલું અમદાવાદ શહેર આર્થિક તથા સાંસ્કૃતિક રીતે હમેશા અગ્રેસર રહ્યું છે. કોલેજના પ્રા મહેશ સોનારાએ અમદાવાદના ઇતિહાસની ઝાંખી વિસ્તૃત રીતે રજૂ કરી હતી. પ્રા અલ્પા પાઘડલે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં કોલેજના ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો