અમદાવાદ: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (AGFTC) અને ઈન્કમટેક્સ બાર એસોસિએશન, અમદાવાદ (ITBA) ટેક્સ કોન્ક્લેવની 5મી આવૃત્તિનું આયોજન કરી રહ્યાં છે. બે દિવસીય કોન્કલેવ, પ્રત્યક્ષ અને પરોક્ષ વેરા અંગે વિવિધ પાસા પર પર ધ્યાન કેન્દ્રિત કરીને, ટેકસ પ્રોફેશનલસ્ ને મદદરૂપ થશે.
બે દિવસીય ટેક્સ કોન્ક્લેવનું ઉદ્ઘાટન 15 માર્ચે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રી ભાર્ગવ કારિયા દ્વારા કરવામાં આવશે. વિવિધ વિષયો અને વિદ્વાન વક્તાઓ સાથે આ ઇવેન્ટ તમામ જ્ઞાનપિપાસુ માટે એક અદ્ભુત અનુભવ બની રહેશે.
ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના ઉપપ્રમુખ એડવોકેટ આશુતોષ ઠક્કરે જણાવ્યું હતું કે ” ટેક્સ કોન્ક્લેવની 5મી આવૃત્તિનું આયોજન કરવામાં અમને આનંદ થાય છે, જે ટેક્સ-સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપશે.
ટેક્સ કોન્ક્લેવ ગુજરાતમાં ટેક્સ પ્રોફેશનલ્સ માટે એક મહત્વપૂર્ણ ઇવેન્ટ તરીકે ઉભરી આવ્યું છે, જે તેમને નેટવર્કિંગ, શીખવા અને ટેક્સને લગતા કાયદામાં અપડેટ્સથી માહિતગાર રહેવા માટે એક અગત્યનું પ્લેટફોર્મ પ્રદાન કરે છે.”
ઇન્કમટેક્સ બાર એસોસિએશન અમદાવાદ ના પ્રમુખ સીએ આશિષ ટેકવાણીએ જણાવ્યું હતું કે ” ટેક્સ પ્રોફેશનલ્સ તરીકે, આપણાં માટે ટેક્સ સિસ્ટમની જટિલતાઓને સમજવા માટે અમારા જ્ઞાનને સતત અપડેટ કરવું આવશ્યક છે.
ટેક્સ કોન્ક્લેવ આ સંદર્ભમાં એક અમૂલ્ય સંસાધન છે, જે નિષ્ણાતો અને પ્રેક્ટિશનરોને વિચારોની આપલે કરવા માટે એકસાથે લાવે છે.”
આ કોન્ફરન્સમાં ડૉ. (સીએ) ગિરીશ આહુજા, વરિષ્ઠ વકીલો વી રઘુરામન અને તુષાર હેમાની જેવા પ્રતિષ્ઠિત વક્તાઓ સહિત અન્ય નોંધપાત્ર વ્યક્તિઓ એડવોકેટ કે વૈથીશ્વરન, સીએ એ જતીન ક્રિસ્ટોફર અને એડવોકેટ (સીએ) ધીનલ શાહ હાજર રહેશે.
વિષયોમાં ચેરિટેબલ ટ્રસ્ટના કરવેરા અંગેના તાજેતરના સમકાલીન મુદ્દાઓ, GST શૉ કોઝ નોટિસના જવાબો તૈયાર કરવા, NRI ટેક્સેશન અને FEMA ને લગતા પ્રોવિઝન વગેરેનો સમાવેશ થાય છે.
બે પેનલ પ્રત્યક્ષ અને પરોક્ષ કરના વિવિધ મુદ્દાઓને હલ કરશે, જેમાં એડવોકેટ મેહુલ પટેલ, સીએ મેહુલ ઠક્કર, સીએ અસીમ ઠક્કર, સીએ મિતિષ મોદી, એડવોકેટ (સીએ) અભય દેસાઈ, એડવોકેટ જીગર શાહ, સીએ પુનિત પ્રજાપતિ અને સીએ રશ્મિન વાજા જેવા નિષ્ણાત વક્તાઓ ઇન્કમટેક્સ અને જીએસટી ના સળગતા પ્રશ્નોના નિરાકરણ લાવશે.
ટેક્સ કોન્ક્લેવ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ના જે બી ઓડિટોરિયમ ખાતે યોજાશે