વૈશ્વિક રાષ્ટ્રગીત કેવું હોય એ મંત્રની સમજ અપાઇ.
કથા મંડપમાં ચોવીસ કલાક અગાઉ પણ રામજન્મની ઉજવણી અને ગાન થયું.
આદિતીર્થવાસી ભૂમિ ખાંડાથી ચાલી રહેલી રામકથાનો આઠમો દિવસ,હવનઅષ્ટમી,આઠમું નોરતું;ત્યારે બાપુએ જણાવ્યું કે મેં એક દિવસ આપને ૬૦ સંવત્સર વિશે વાત કરેલી.આપણે એ બધાથી પરિચિત નથી કારણકે બીજા સંવત્સરો ખૂબ દૂર છે.કોઈ લાખો વરસો,કોઈ હજારો,કોઈ ૨૫૦૦ વરસ,કોઈ ૨૦૦૦ વરસ,કોઈ ૧૨૦૦-૧૩૦૦ વરસ પહેલા થયા છે.પણ સૌથી નજીકનું સંવત્સર આપણું માનસ સંવત્સર જે સર્વપ્રિય,સર્વપ્રાપ્ય સરલ-તરલ છે.કારણકે બધા એને સમજી શકે છે.અને ૧૬૩૧ની રામનવમીએ એનો આરંભ થયો.એ રામનવમીને ૨૪ કલાક બાકી છે.
બાપુએ કહ્યું કે ઘર-ઘર,ઝુંપડા-ઝૂંપડા,પ્રાંત-પ્રાંત, ઘટ-ઘટ અને સમગ્ર વિશ્વમાં રામ આવવો જોઈએ. રામ તો મૂળ છે,પૂર્વગ્રહથી કોઈ ન માને તો આપણે જીદ કરવાવાળા નથી.પણ કાલનો દિવસ ઘર-ઘર અને ઘટ-ઘટમાં આ સંવત્સર ઉજવાવો જોઈએ. રાષ્ટ્ર એટલે માત્ર આટલો નાનકડો ટુકડો નહીં પણ ત્રણેય ભુવન,વિશ્વનીડમ-આખું વિશ્વ એક માળો છે એવો વૈદિક અર્થ કહેલો છે.આખું જગત રાષ્ટ્ર છે એવું ભારત માને છે ત્યારે યુગો પહેલાની સંવત્સરી વ્યવસ્થાનું એક રાષ્ટ્રગીત કેવું હતું?યજુર્વેદના ૨૨માં અધ્યાયમાં ૨૨મો મંત્ર કે જ્યાં અલગ અલગ ૧૧ પ્રકારની માગણીઓ આપણા ઋષિએ કરી છે.અને એ સ્વકેન્દ્રિત નહીં પણ આખા જગત માટે માંગ્યું છે. જે વૈશ્વિક રાષ્ટ્રગીત કહી શકાય.આ ત્રિભુવનીય રાષ્ટ્રમાં એવા બ્રહ્મવિદ્યાના ઉપાસકો જન્મે જે બ્રહ્મવિદ્યાવાળા,બ્રહ્મવાદી,બ્રહ્મને ભજનારા,બ્રહ્મની ઉપાસના કરનારા બ્રાહ્મણો જન્મે.આ વર્ણવાચક નથી.એ જ રીતે એવા રત્નો પાકે જેમાં બેટી,ગાય, છેલ્લો માણસ અને રાષ્ટ્રની સરહદનું રક્ષણ કરે એવા રક્ષકો-ક્ષત્રિયો હોય.એને પણ હું વર્ણવાચક માનતો નથી.આવા પ્રકારની માગણીઓ ઋષિ દ્વારા થઈ છે. એણે કહ્યું છે મારા દેશમાં દુધાળી ગાયો વધારે હોય. બાંગ્લાદેશમાં અને વિદેશોમાં મોટાભાગે ગાયોનું જ દૂધ પીવાય છે.
આ મંત્રની વિવિધ માગણીઓ વિશે બાપુએ વિસ્તારથી જણાવી અને કથાપ્રવાહમાં રામજન્મના વિવિધ કારણો અને હેતુઓ,એ જન્મે છે તેની વિવિધ સંવાદી કથાઓનું ગાન કરતા કરતા રામ એટલે શું? શા માટે જન્મે છે?એવું સતી પૂછે છે અને શિવ એની કથા કહે છે.રામ જન્મની સમગ્ર કથામંડપ,આખો દેશ,રાષ્ટ્ર,ત્રિભુવન અને પુરા બ્રહ્માંડને વધાઈ સાથે બાપુએ કહ્યું કે આવતીકાલે-બરાબર ૨૪ કલાક પછી પણ રામ જન્મ થશે.એક દિવસ અગાઉ પણ આ રામજન્મની કથાનું ગાન કરી અને કથાને વિરામ અપાયો.આવતીકાલે આ કથા પૂર્ણાહુતિ દિવસ છે અને કથા સવારે ૯:૦૦વાગ્યે શરૂ કરવામાં આવશે
અમૃતબિંદુઓ:
વૈશ્વિક રાષ્ટ્રગીત:
આ રાષ્ટ્રગીતમાં ૧૧ માગણીઓ-ઇચ્છાઓ છે.સ્વકેન્દ્રી નહિ,પૂરા જગત માટેની.
મંત્રઋષિ-પ્રજાપતિઋષિ,દેવતા-લિંગોક્તા.
છંદ-સ્વરાડુત્કૃતિ અને સ્વર-ષડજ છે.
આ બ્રહ્મન્ બ્રાહ્મણ:બ્રહ્મવર્ચસીતિ બ્રહ્મડવર્ચસી જાયતામ્
આ રાષ્ટ્રે રાજન્ય: શૂર: ઇષવ્ય: અતિવ્યાધિત્યતિડવ્યાધિ મહારથ ઇતિ મહાડરથ: જાયતામ્
દોગ્ધ્રિ ધેનુ:વોઢા અનડ્વાન્ આશુ: સપ્તિ: પુરન્ધિરિતિ પુરમ્ડધિ યોષા:જિષ્ણુ:રથેશ્ઠા: રથેસ્થા ઇતિ રથેડસ્થા: સભેય: યુવા આ અસ્ય યજમાનસ્ય વીર: જાયતામ્
નિકામે-નિકામ ઇતિ નિકામેડનિકામે ન:
પર્જન્ય: વર્ષતુ ફલવત્ય ઇતિ ફલડવત્ય: ન: ઔષધય: પચ્યન્તામ્ યોગક્ષેમ ઇતિ યોગડક્ષેમ: ન: કલ્પતામ।।૨૨
હે (બ્રહ્મ) મહાન જ્ઞાનવાળા સર્વથી મહાન ભગવાન! આપણા (રાષ્ટ્ર) રાજ્યમાં(બ્રહ્મવર્ચસી)એક બ્રાહ્મણ (આ,જયતામ્)જે વેદના જ્ઞાનથી પ્રબુદ્ધ છે(બ્રાહ્મણ), જે વેદ અને ભગવાનને સારી રીતે જાણે છે,તેણે દરેક રીતે (ઈશાવ્યહ)બાણ ચલાવવામાં ઉત્તમ ગુણો સાથે જન્મે.બાણ (અતિવ્યાધિ) અતીવશત્રુઓ એટલે કે જેની પાસે શિક્ષા કરવાનો સ્વભાવ છે,જેની પાસે મોટા રથ છે અને ખૂબ જ બળવાન યોદ્ધા છે,એવો (શૂરહ) નિર્ભય,(રાજન્યહ) રાજપુત્ર દરેક રીતે જન્મે.(દોગ્ધ્રી) ઇચ્છાઓ અથવા દૂધથી ભરેલી (ધેનુ)વાણી અથવા ગાય,(વોધા)ભાર (અંગવાન) વહન કરવા સક્ષમ (અશુહ),ઝડપી ગતિશીલ(સપ્તિ:)ઘોડો,(પુરંધિ:)જે ઘણા વહેવારોને ધારણ કરે છે,તે (યોષા) સ્ત્રી,(રથેસ્થ:))જે રથ પર સ્થિર છે અને (જિષ્ણુ) શત્રુઓ (સભેય:) પર વિજય મેળવે છે,તે રાજ્યમાં-રાષ્ટ્રમાં ખૂબ જ સંસ્કારી (યુવા) યુવાન (આ,જાયતામ્) જન્મે.(અસ્ય,યજમાનસ્ય)જે વિદ્વાનોનું સન્માન કરે છે, આનંદથી સંગ કરે છે કે સુખ આપે છે,આ રાજા (વીર:)નાં રાજ્યમાં એવા માણસનો જન્મ થાય કે જેને આપણા (નિકામે-નિકામે) નિર્ધારિત કાર્યમાં દુશ્મનોને દૂર કરવા માટે વિશેષ જ્ઞાન હોય,એટલે કે, આપણે જે પણ કાર્ય માટે પ્રયત્ન કરીએ છીએ તે કાર્યમાં (પર્જન્ય:)વાદળો (વર્ષતુ) વરસો.(ઔષધ:) દવા (ફલવત્ય:) આપણા માટે ખૂબ સારા ફળ આપે.(ન:) પાકે,આપણું (યોગક્ષેમ:) યોગનું રક્ષણ કરે, અપ્રાપ્ય વસ્તુને પ્રાપ્ત કરવામાં મદદ કરે એવા સક્ષમ હોય.જે તમને ભૌતિક વસ્તુઓ (કલ્પતામ) પ્રાપ્ત કરવા સક્ષમ બનાવે.
સારાર્થ:
આ મંત્રમાં વાચકલુપ્તોમાલંકાર છે.
વિદ્વાનોએ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને એવી વિધિ કરવી જોઈએ કે તેમને પૂર્ણ વિદ્યાવાળા બહાદુર પુરુષો,એવાં જ સમાન ગુણોવાળી સ્ત્રીઓ, સુખ આપનારા પ્રાણીઓ,સંસ્કારી લોકો, ઈચ્છિત વરસાદ,મીઠા ફળો અને ઔષધિઓયુક્ત ભોજન મળે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય.॥૨૨॥