*ગુજરાતમાં સૌ પ્રથમવાર મનોદિવ્યાંગો, દિવ્યાંગોની સક્ષમતાના દર્શન કરાવતો 5 દિવસનો ભવ્ય હાટડી મેળો* બોપલ હાટમાં યોજાશે. આ મેળો વાસણા સ્થિત જેજેસીટી મનોવિજ્ઞાન પુનર્વસન કેન્દ્ર સંસ્થા દ્વારા 29th ડિસેમ્બર થી 2 જી જાન્યુઆરી સુધી ગુજરાતના લોક મેળાઓની જેમ જ ભરાશે.
જેમાં, તેમના દ્વારા બનાવેલી વિવિધ હાથ બનાવટની ચીજ વસ્તુઓનું તેમનાં દ્વારા જ વેચાણ કરવામાં આવશે. સંસ્થા ના સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વિભાગમાં થી તાલિમ મેળવી પગ ભર થયેલા 20 સ્પેશ્યલ બાળકો ઉપરાંત આ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓએ મેળામાં સ્ટોલ રાખ્યા છે. તેમની મહિલા એસ્કોર્ટ ને સપોર્ટ કરવા વુમન વિંગ ની બહેનો એ પણ સ્ટોલ રાખ્યા છે.
આ અદ્ભુત મેળો નિહાળવા અને સ્પેશ્યલ બાળકો ને સપોર્ટ કરવા અલગ અલગ ક્ષેત્ર ના અનેક સેલિબ્રિટીઓ મેળામાં પધારશે. જેમાં, ગુજરાત સરકારના મેળાઓ માટેનો ખાસ વિભાગ ઈન્ડેક્ટ સીના કાર્યવાહક નિયામક શ્રી ને અન્ય અધિકારીઓ, સીઈડી ના અધિકારીઓ, ગુજરાત ના સાઇકોલોજી ક્ષેત્રે ના અનેક મહાનુભાવો, સમાજ સુરક્ષા ખાતાના નિયામક શ્રી ને અન્ય અધિકારીઓ, મહિલા બાળ વિકાસ ખાતાના અધિકારીઓ, ફિલ્મી સિતારાઓ, રાજકારણીઓ, ડોક્ટરો, વકીલો, સામાજીક કાર્યકર્તાઓ એમ અનેક નો સમાવેશ થાય છે.
ઓપનિંગ સેરેમની 29th ને શુક્રવારે સાંજે 5 વાગ્યે ઈન્ડેક્ષ સી ના કાર્યવાહક નિયામક શ્રી ડી. એમ. શુક્લા સાહેબ ને અન્ય અતિથિઓ દ્વારા સાંજે 5 વાગ્યે થશે. વર્ષ 2023 ના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બર ને રવિવારે જેજેસીટી પ્રેસિડેન્ટ શ્રી ડો. નિતીન સુમંત શાહ ના જન્મદિવસ ને ક્રિસમસ નું ગ્રાન્ડ સેલિબ્રેશન સાંજે 4 વાગ્યે થશે. છેલ્લા દિવસે ક્લોઝીંગ સેરેમની સંસ્થા ના લાઈફ આફ્ટર અસ વિંગ ના અનેક અતિથિઓ દ્વારા સાંજે 5 વાગ્યે થશે.
આ મેળો દિવ્યાંગો ના રોજગાર માટે નું એક મોટું પ્લેટફોર્મ પુરવાર થશે. ને મેળાથી તેમની *મેન્ટલ હેલ્થ ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ* થશે ને વધુ વિધેયક બનશે અને આત્મવિશ્વાસ વધશે જેથી તેઓ ઉત્તમ કામ કરવા પ્રેરાશે.
સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી અને પુનર્વસન નિષ્ણાંત યશેષ શાહ નું કહેવું છે કે શારીરિક સ્વાસ્થ્યની તંદુરસ્તીમાં માનસિક સ્વાસ્થ્યનો મુખ્ય રોલ હોય છે. જો કોઈ પણ વ્યક્તિની નેગેટીવ થિંકિંગ ને વિવિધ માધ્યમો દ્વારા પોઝીટીવ કરવામાં આવે તો તે વ્યક્તિ ખૂબ જ સારી જીંદગી જીવે છે. જરૂર છે દરેક વ્યક્તિ ની થિંકિંગ પેટર્ન ને બદલવા માટે યોગ્ય માર્ગદર્શનની, સાચી દિશા ની… જે અમારી સંસ્થા ના નિષ્ણાંતો દ્વારા વિવિધ માધ્યમથી આપવામાં આવી રહી છે. જેનાથી અશક્ય લાગતાં કેસ માં પણ ખૂબ સારા પરિણામો મળ્યા છે અને તેઓનું પુનર્વસન શક્ય બન્યું છે. જે આ મેળામાં પુરવાર થશે.
આ સમાચાર આપના સુપ્રસિદ્ધ મિડિયા દ્વારા વિના મૂલ્યે સમાજ સુધી પહોંચાડવા વિનંતી 🙏
– મેનેજીંગ ટ્રસ્ટી / યશેષ શાહ 98258 77370