અગ્નિપથ યોજના સામે હિંસક પ્રદર્શનના આરોપમાં અલીગઢમાંથી અત્યાર સુધીમાં 80 લોકોની અટકાયત કરાઈ છે. SSP કલાનિધિ નૈથાનીએ કહ્યું કે, શુક્રવારે હિંસા બાદ અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી 9 કોચિંગ ઓપરેટરો છે. કોચિંગ ઓપરેટરોએ સૈન્યમાં જોડાવાની ઈચ્છા ધરાવતા અસામાજિક તત્વોના પ્રદર્શનો વચ્ચે હિંસક ઘટનાને અંજામ આપ્યો હતો.
