ગુજરાતમાં 2002ના રમખાણ કેસમાં તિસ્તા સેતલવાડ પર એસઆઈટીના દાવા બાદ ભાજપ અને કોંગ્રેસ સામ-સામે આવી ગયા છે.એક તરફ ભાજપ પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે તિસ્તા સેતલવાડે જે પણ કર્યું તે સોનિયા ગાંધીના ઈશારે કર્યું છે. સોનિયા ગાંધીએ અહમદ પટેલના માધ્યમથી તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા.તેમણે કહ્યું કે,સોનિયા ગાંધીએ પોતાના મુખ્ય રાજકીય હરિફને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.