ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ ધ્વારા આજરોજ ગુજરાતના મૃર્ધન્ય કવી તથા સ્વાતંત્ર્ય સેનાની ઉમાશંકર જોષીની ૧૨૨મી જન્મજયંતીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓએ ઉમાશંકરના વિવિધ પુસ્તકો વીશે ટૂંકમાં સાર કીધો હતો તથા તેમને મળેલા જુદા જુદા એવોર્ડ્સની વાત કરી હતી. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે ઉમાશંકર જોષીએ કુલ ૭૦ પુસ્તકો લખ્યા હતા. જેમાં કવીતા, નાટકો, ટૂંકી વાર્તાઓ, નવલકથા, નિબંધો તથા પ્રવાસવર્ણનોનો સમાવેશ થાય છે. બાળપણમાં કુદરતી તથા ગામડાનું વાતાવરણ મળ્યુ, મેળાઓ માણ્યા તેમાંથી પ્રેરણા મળી અને સર્જક તરીકે સ્થાન પામ્યા. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ઉમાશંકર જોષી એક શિક્ષક, અધ્યાપક, સ્વાતંત્ર્ય સેનાની, કુલપતી, કવી તથા એક રાજકારણી તરીકે ઉત્કૃષ્ઠ તથા આદર્શ રીતે પોતાની ભૂમિકા અદા કરવામાં સફળ રહ્યાં હતા. તેમની દરેક કૃતીઓમાં સવેદનશીલતા, માનવીય મૂલ્યો, સંસ્કૃતીનું જતન, દેશપ્રેમ તથા આધ્યાત્મીકતાના દર્શન થાય છે. ઉમાશંકર જોષીની વિખ્યાત પંક્તી “સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી” ઉપરથી ચોક્કસ આપણી કહી શકીએ કે તેમને માતૃભાષા ઉપર કેટલો લગાવ અને પ્રેમ હતો. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા ઉમાશંકર જોષીએ પોતાના સર્જન ધ્વારા ગુજરાતી સાહિત્યના સંવર્ધન માટે સિંહફાળો આપ્યો છે. આ કાર્યક્રમમાં કોલેજના ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.