શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકદ્રાબાદની અગત્યની મિટિંગ:- તારીખ ૪/૯/૨૦૨૨. રવિવાર નાં રોજ બ્રહ્મ સમાજ હૈદરાબાદ-સિકંદરાબાદ ની કમિટી મીટીંગ સંપન્ન થઈ હતી.એમા નિમ્નલિખિત બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.
(૩) ભાદરવા પિતૃ અમાસને દિવસે બાસર (સરશ્વતી) મુકામે ‘પિતૃ-તર્પણ’ કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા
(૪) ‘નવરાત્રી’ અને ‘દિવાળી સ્નેહ-મિલન’ અંગે ચર્ચા વિચારણા.
(૫) ઉપસ્થિત સૌ મેમ્બર્સો એ વ્યક્તિગત ચર્ચા રજુઆત ‘મનકી બાત’ રજુ કરી. જેની ચર્ચા – વિચારણા કરવામાં આવી.
દીપ પ્રજ્વલીત કરીને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી. સમાજ નાં ખજાનચી શ્રી અજયભાઈ ઓઝાએ ‘બળેવ સ્નેહમિલન’ ખર્ચની રજૂઆત કરી હિસાબ આપ્યો. જે સર્વનાં મતે મંજૂર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અધ્યક્ષશ્રી ની સુચના મુજબ મંત્રી શ્રી હરીશભાઈ દવેએ આગામી નવરાત્રીનું આયોજન શ્રી ગાયત્રી મહિલા મંડળ તરફથી થાય તેવી રજૂઆત કરાતાં શ્રી ગાયત્રી મહિલા મંડળનાં અધ્યક્ષ શ્રીમતી કલ્પનાબેન દવે અને મંત્રી શ્રીમતી સાધનાબેને જણાવ્યું હતું
કે, આપણાં સમાજનાં પચાસ વર્ષ પૂર્ણ થતાં હોવાથી નવરાત્રી મહોત્સવ તથા દિવાળી સ્નેહ – મિલન ખુબ જ, ધામધૂમથી, ભવ્યતા થી ઉજવવા માટે સર્વનો સાથ સહકાર જોઈશે. જે આપવાં માટે સૌને જણાવ્યું હતું. જે સર્વ સંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું.
ભાદરવા વદ ની સર્વ પિતૃ અમાસ નાં દિવસે
સર્વ પિતૃ-તર્પણ માટે બાસર (સરશ્વતી) મુકામે પિતૃતર્પણ વિધિ કરવા માટેની વ્યવસ્થા કરવા માટે ઉપાધ્યક્ષ શ્રી જીતેશ ભાઈ જાનીની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ બાસર મુકામે અભ્યાસ કરવા અર્થે ગયેલાં અને ગોદાવરી નદીના તટ પર પિતૃ તર્પણ પૂજા, બ્રહ્મ ભોજન વિગેરેની વ્યવસ્થા કરી આવ્યાં હતાં એ અંગેની વિગતો રજૂ કરેલી. સૌને આ બાબત ઘણી ગમી હતી.
મીટીંગની શરૂઆત પહેલાં ‘યંગ બ્રાહમીન’ (Yb) ગ્રુપ તરફથી શ્રી જીતભાઈ ભટ્ટ અને આનંદ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓ એ સૌને જલેબી ગાંઠિયાનો નાસ્તો કરાવ્યો હતો. ‘યંગ બ્રાહ્મમીન’ (Yb) તરફથી સમાજ નાં જરૂરિયાત મંદ પરિવારો ને અનાજ ની કીટો નું વિતરણ કરેલુ.
સમાજના વાઈસ ચેરમેન શ્રી રમેશભાઈ પંડ્યા ઘણાં લાંબા સમય બાદ ગુજરાતથી હૈદરાબાદ પધારેલા હોવાથી તેમને સત્કારવા માટે સમાજ નાં ચેરમેન શ્રી વૈકુંભાઈ જાનીએ સાલ ઓઢાડી સન્માન કરી ખુશી વ્યક્ત કરેલી.
અધ્યક્ષશ્રી એ સૌ ઉપસ્થિત હોદ્દેદારો અને કમિટી મેમ્બર્સનો આભાર માન્યો હતો.
મિટિંગ પશ્ચાયાત તુરંત જ સેવા મંડળ નાં ભોજનાલયમાં શ્રી રમેશભાઈ પંડ્યા તરફથી ભોજન કરીને સૌ વિખૂટા પડ્યાં હતાં.