ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ. એ. કોલેજ ઓફ કોમર્સના એચ. એ. ગાંધીઅન સોસાયટી ધ્વારા આજરોજ ૩૦મી જાન્યુઆરીએ ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે “પ્રવર્તમાન સમયમાં ગાંધીજીના વિચારોની પ્રસ્તુતતા” વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યુ હતુ. આ વિષયના મુખ્ય વક્તા તરીકે શહેરની એલ. એન્ડ સી મહેતા કોલેજના પ્રા.જયેશ માંડણકાએ કહ્યું હતુ કે વિશ્વમાં યુધ્ધનો ઉન્માદ, અસહિષ્ણુતા તથા સ્વાર્થ વધતો જાય છે તથા પારિવારિક અને સામાજીક માળખુ તુટતુ જાય છે. આ વૈશ્વીક સમસ્યાઓનું સમાધાન એક માત્ર ગાંધીજીના વિચારોમાં છે. સત્ય, અહિંસા, તપ, ક્ષમા, મૈત્રી, સર્વોદય, સત્યાગ્રહ સેવા, પવિત્રતા તથા દયા એ આ બધા પ્રશ્નોનો ઉકેલ છે અને પ્રવર્તન માટે ગાંધી જરૂરી છે. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે સદ્દગુણો એ ભારતીય શાસ્ત્રો તથા ઋષીઓની ભેટ છે. અને ગાંધીજી એ પરંપરાના વારસ અને વાહક હતા. સાદુ જીવન, ઉચ્ચ વિચારો તથા નિર્ભયતાથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રીય ફાળો આપી દેશને આઝાદ કરાવવામાં ગાંધીજીનો સિંહફાળો હતો. કોલેજના પ્રા.મહેશ સોનારાએ પ્રાસંગોચિત્ત વક્તવ્ય આપી આભારવિધી કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પ્રા.અનુરાધા પાગેદારે વૈષ્ણવજનતો તેને રે કહીએ પ્રાર્થના રજૂ કરી હતી. કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી ગાંધીજીને શ્રંધ્ધાજલી આપી હતી.